સવજી ધોળકિયા - મહેનતથી આગળ વધેલા હીરા ઉદ્યોગપતિ
સવજીભાઈ ધોળકિયા ગુજરાતના એવા લોકોમાં ગણાય છે જેમણે ખૂબ સામાન્ય પરિસ્થિતિમાંથી શરૂઆત કરીને હીરા ઉદ્યોગમાં મોટી ઓળખ બનાવી છે. તેઓ મૂળ અમરેલી જિલ્લામાં આવેલા નાના ગામથી આવે છે. ગામડાની સામાન્ય પરિસ્થિતિમાં ઉછરીને તેમણે ખૂબ નાની ઉંમરે મહેનત કરવાનું શરૂ કર્યું.
શરૂઆતના દિવસોમાં સવજીભાઈ સુરત આવ્યા ત્યારે તેમની પાસે ખાસ કંઈ સુવિધા નહોતી. તેઓ હીરા ઘસવાના કામ સાથે જોડાયા અને ધીમે ધીમે કામ શીખતા ગયા. શરૂઆતમાં કારીગર તરીકે કામ કર્યું, પછી અનુભવ વધ્યો અને હીરા વ્યવસાય વિશે વધુ સમજ આવી.
થોડા સમય પછી તેમણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો. મહેનત, વિશ્વાસ અને સારા કામના કારણે તેમનો વ્યવસાય ધીમે ધીમે આગળ વધતો ગયો. પછીથી તેમણે હરી કૃષ્ણા એક્સપોર્ટ્સ નામની કંપની શરૂ કરી, જે આજે હીરા ઉદ્યોગમાં જાણીતી કંપનીઓમાં ગણાય છે.
સવજીભાઈ વિશે ઘણી વખત લોકો કહે છે કે તેઓ બહુ સાદા અને ગામઠી સ્વભાવના માણસ છે. મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ સામાન્ય માણસની જેમ સરળ જીવન જીવવાનું પસંદ કરે છે. તેમની સફળતા ઘણા યુવાનો અને કારીગરો માટે પ્રેરણા બની છે.
ઘણા લોકો માટે તેમની કહાની એ બતાવે છે કે જો માણસ પાસે મહેનત કરવાની તૈયારી હોય અને કામ પ્રત્યે ઈમાનદારી રાખે, તો ગામડામાંથી નીકળેલો માણસ પણ દુનિયામાં મોટી ઓળખ બનાવી શકે છે.